અહીં સાક્ષાત બિરાજમાન છે આકાશી મેલડીમા, પોલીસ અને કલેક્ટરને આપ્યા એવા પરચા કે ભલભલા ધ્રુજી ગયા

કહેવાય છેકે શ્રધ્ધા હોય ત્યા પુરાવાની શી જરુર, સૌ લોકો જાણે છેકે ભારતમાં ઘણા બધા દેવી-દેવતા ના મંદિર આવેલા છે. જે મંદિરોમાં દેવી દેવતાઓ આજે પણ હાજરા હજૂર છે. આજે આપણે એવા જ એક ચમત્કારિક મેલડી માતાજીની વાત કરવાના છીએ. આમ તો મેલડી માતાજીના અલગ અલગ ઘણી બધી જગ્યાએ પરચા પૂરેલા છે પરંતુ અમે તમને જણાવી રહ્યા છે એ પરચો આજથી લગભગ 12 થી 14 વર્ષ પહેલાનો છે. જ્યાં આકાશી મેલડી માનુ એક ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે.

Advertisement

જસદણ જિલ્લાનું ગઢડીયા ગામ જસદણથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું છે. જસદણ ગામમાં બે વસ્તુ પ્રખ્યાત છે, એક અહીં ગામના પટારા અને બીજું આકાશી મેલડીમાંનું મંદિર. આજથી 12 થી 14 વર્ષ પહેલા જ્યારે મેલડી માનું મંદિરને પાળવા માટે આવ્યા હતા, કેમ કે ત્યાં હાઈવે રોડ બનવાનો હતો. ત્યારે આખા ગામ લોકોએ અન્નપાણીનો ત્યાગ કરી દીધો હતો. કોઈએ નાનું છોકરું પણ નહીં ધવરાવવાનો, એટલે તત્કાલીન રાજકોટના કમિશનરને ગુસ્સો આવ્યો 8:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી નાનું મંદિર હટાવવાનું ઓપરેશન ચાલુ રાખ્યું, તેમા ના કોઈ ગામના લોકોએ કે ના ભુવાએ સાથ આપ્યો.

Advertisement

પછી પોલીસવાળાને ગુસ્સો આવ્યો તો તેઓએ માતાજીની છબી લઈ લીધી. ખાલી છબી લેતા ઉલળીને પડ્યો અને આંધળો થઈ ગયો અને રોડ માથે આરોટવા મંડ્યા, પછી કલેકટર અને ડીસીપીને એ લોકોએ છૂટવા માટે તાવા માંડ્યા. જે હમણાં સુધી તાવા કરવા આવતા હતા. દર મહિને 20 કિલો કે સવા મણનો તાવો કરતા હતા અને અથવા તો પૈસા દાન કરી જતા હતા.

અહીં દર રવિવારે 50 થી 60 મણ સુખડીનો પ્રસાદ કરવામાં આવે છે. તેમજ 80 થી 100 મણ તાવો કરવામાં આવે છે. દર રવિવારે 15 થી 25 હજાર ભાવિભક્તો આકાશી મેલડી માના દર્શન કરવા આવે છે. અહીં 365 દિવસ દરરોજ તાવા ચાલુ જ રહે છે. હાલ અહીં મંદિરનું કાર્ય ચાલુ જ છે. જે અંદાજીત ત્રણથી સાડા ત્રણ કરોડના ખર્ચે બનશે. મંદિર બનતા હજુ પણ એક વર્ષ જેટલો સમય લાગી જશે. અહીં એક ખટારો ભરાય એટલા તો શ્રીફળનો ઢગલો છે, જે ભક્તો દ્વારા તોરણના સ્વરૂપે ચડાવવામાં આવ્યો છે.

અહીં તાવા કરવા માટે આવેલ ભાવિ ભક્તોને મંદિર તરફથી તાવાની સંપૂર્ણ સાધન સામગ્રી આપવામાં આવે છે. અથવા તો મળી રહે છે. અહીં ચોખ્ખા સીંગતેલથી તાવો કરવામાં આવે છે. ગામ લોકો દ્વારા આજુબાજુમાં 15 થી 25 kmમાં લાકડા કાપવા ગામના લોકો જાય છે. આસપાસના લોકોને કે ગામના લોકોને જ્યારે દુઃખ પડે અને ગઢડીયા વાળી આકાશી મેલડી માને યાદ કરે એટલે હાજરા હજુર થઈ જાય છે.

મંદીરના પૂજારી શ્રી હસુભાઈ જણાવ્યું કે આરતી બે ટાઈમે થાય છે. સવારની આરતી 5.20 મિનિટે થાય છે, અને સાંજની આરતી 7:20 મિનિટ થાય છે. અહીં બહારગામથી આવતા યાત્રિકો માટે રહેવા તથા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા મંદિર તરફથી કરી આપવામાં આવે છે તેમજ અહીં લોકો દૂર દૂરથી ગઢડીયા વાળી આકાશી મેલડી માના દર્શન કરવા આવે છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!