NATIONAL

12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને પછી યુવકે જે કર્યું એ..

એક ખૂબ જ શોકિંગ અને હચમચાવી દેતો બનાવ સામે આવ્યો હતો. જેમાં મંદિરમાંથી પૂજા કરીને પરત ફરતા પરિવાર પર એક યુવકે ધડાધડ ગોળીઓનો વરસાદ કર્યો હતો. હુમલાખોરે એક પછી એક છ લોકોને લોહી લુહાણ કરી દીધા હતા. ઘટનના સામે આવતા જ આખા શહેરમાં દહેશત વ્યાપી ગઈ હતી. આ ગોળીબારમાં બે સગાભાઈઓએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો જ્યારે તેની બહેને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. હુમલાખોર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

આ હચમચાવી દેતી ઘટના હાલમાં બિહારમાં સામે આવી હતી. અહીંના લખીમસરાય શહેરમાં એક સાથે ત્રણ-ત્રણ લોકોની હત્યાએ બધાને હચમચાવી દીધા હતા. આ હુમલો એક પરિવાર પર થયો હતો. હવે સવાલો ઉઠવા લાગ્યા કે હુમલાખોર કોણ હતો? શા માટે તેણે ઝા પરિવારને નિશાન બનાવ્યો? આ ઘટનામાં હુમલાખોર એકલો જ સંડોવાયેલો હતો કે તેની પાછળ અન્ય કોઈનો હાથ હતો? આખરે આ સમગ્ર ઘટનાનું કારણ શું હતું? જેથી પોલીસ તપાસ દરમિયાન ટૂંક સમયમાં જ વાર્તા સ્પષ્ટ થઈ ગઈ હતી.

જ્યારે તપાસ શરૂ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ઝા પરિવાર પર હુમલો કરનાર આશિષ ચૌધરી નામનો યુવક આ પરિવારની એક પુત્રી સાથે એકતરફી પ્રેમમાં હતો અને જ્યારે યુવતીએ ના પાડી ત્યારે તેણે આ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં એ જ 24 વર્ષની દીકરીનું મોત થયું હતું.

આ હત્યારાની અસલી કહાની
જ્યારે પોલીસે આ કેસની તપાસ આગળ ધપાવી તો જે સત્ય બહાર આવ્યું તેણે સૌને ચોંકાવી દીધા. સર્ચ દરમિયાન તેના ઘરેથી આવી ડાયરી મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આશિષના ઘરની તલાશી દરમિયાન પોલીસને તેના ઘરમાંથી એક ડાયરી મળી આવી હતી. જેમાં આશિષે તેની લવ લાઈફ અંગે 15 પાનાની નોટ લખી હતી. આરોપીએ તેનું નામ અતિત રાખ્યું હતું. આ નોંધને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે આશિષનું ઝા પરિવારની પુત્રી દુર્ગા સાથે અફેર હતું.

આરોપીએ લખી 15 પાનાની ચિઠ્ઠી
આ અફેરના કારણે બંનેએ લખીસરાય છોડી દીધું હતું અને પરિવારના સભ્યોથી છુપાઈને પટનામાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા અને જ્યારે બંને લિવ-ઈન રિલેશનશિપમાં હતા ત્યારે તેણે પોતાનું અને દુર્ગાના ભરણપોષણ માટે ઘણી મહેનત કરી હતી. તેણે દુર્ગાને પટનાના હથુઆ માર્કેટમાં સ્થિત તનિષ્ક જ્વેલર્સમાં નોકરી પણ અપાવી હતી અને આ બધું બંને વચ્ચે ઘણા વર્ષો સુધી ચાલતું રહ્યું. પરંતુ વાર્તામાં વાસ્તવિક વળાંક ત્યારે આવ્યો જ્યારે દુર્ગાએ કથિત રીતે આશિષ સાથે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું. આશિષે પોતાની ડાયરીમાં લખ્યું છે કે, 3 જાન્યુઆરી, 2021ના રોજ તેને જોરદાર આંચકો લાગ્યો, જ્યારે તેને ખબર પડી કે સુમિત નામનો બીજો છોકરો દુર્ગાના જીવનમાં આવ્યો છે. વાસ્તવમાં એકવાર આશિષ દુર્ગા સાથે વીડિયો કૉલ પર વાત કરી રહ્યો હતો અને પછી તેણે સુમિતને દુર્ગાના પલંગ પર સૂતો જોયો. આ પછી તેની દુર્ગા સાથે ઝઘડો થયો અને દુર્ગાએ માફી માંગીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો.

લગ્ન બાદ બંને પટનામાં રહેતા હતા
આશિષે લખ્યું છે કે તેણે દુર્ગાને માફ પણ કરી દીધી હતી, પરંતુ તેમ છતાં દુર્ગા સુધારવા માટે તૈયાર નહોતી. આશિષે લખ્યું છે કે લખીસરાય પરત ફર્યા બાદ દુર્ગાએ તેને ડંપ કરી દીધો… તેની અવગણના કરવા લાગી પરંતુ હદ ત્યારે પહોંચી જ્યારે 16 માર્ચ, 2021ના રોજ દુર્ગાના પરિવારના સભ્યોએ તેના ઘરે હલ્લો બોલ્યો અને તેના અને તેના પરિવારને ત્રાસ આપ્યો. ધમકીઓ અને દુર્વ્યવહાર કર્યો. આશિષે લખ્યું છે કે આ ઘટના પછી તે મરવા માંગતો હતો પરંતુ જો તે મરી ગયો હોત તો લોકો તેની મજાક ઉડાવતા કે તે છોકરીના કારણે મરી ગયો. તેથી, તેણે પોતાનો જીવ આપવાને બદલે, તેણે છોકરી અને તેના પરિવારનો જીવ લેવાનું નક્કી કર્યું. આશિષે તેની ડાયરીમાં લખ્યું છે કે તેની ગર્લફ્રેન્ડ દ્વારા છેતરપિંડી થયા બાદ તે ગૂંગળામણભર્યું જીવન જીવી રહ્યો હતો. ડિપ્રેશનમાં રહેવા લાગ્યો.

મોક્ષ આપવા જઈ રહ્યો છું!
આ સમય દરમિયાન કેટલાક મિત્રોએ તેની મદદ કરી અને અંતે તે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે બાઇક પર એકલો જ નીકળ્યો. તેને આશા હતી કે આ પછી તેને માનસિક શાંતિ મળશે પરંતુ પાછા આવ્યા બાદ પણ તે બદલાની ભાવનામાંથી બહાર ન આવી શક્યો અને આખરે તેણે આ ગુનો કરવાનો નિર્ણય લીધો.

બીજી તરફ પીડિતાના પરિવારે આ ઘટનાને લઈને અલગ જ વાત કહી છે. પરિવારનું કહેવું છે કે આશિષ તેમની પુત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેઓ તેના માટે તૈયાર ન હતા. તે તેની પુત્રીને હેરાન કરતો હતો. જે અંગે તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસે સમયસર કોઈ કાર્યવાહી ન કરતા આશિષે ઝા પરિવાર પર હુમલો કરી ત્રણ લોકોના જીવ લીધા હતા અને હજુ પણ અનેક લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે લટકી રહ્યા છે. આ ઘટનાના અમુક દિવસ બાદ આશિષે પોલીસમાં સરેન્ડર કરી દીધું હતું.

Advertisement