NATIONALNews

સારુ પર આવ્યું જમાઈનું દીલ, એકબીજામાં ઓતપ્રોત થઈ બાંધ્યા સંબંધ

એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ તેના પતિની કુહાડી વડે હત્યા કરી નાખી. હત્યાનું કારણ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે સાસુ અને જમાઈ વચ્ચે પ્રેમ શરૂ થઈ ગયો હતો. જે બાદ શારીરિક સંબંધો પણ બંધાયા હતા, જે અંગે પતિને ખબર પડી ગઈ હતી. ત્યાર બાદ સાસુ-જમાઈએ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે એક ટીમ બનાવી આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

ઉત્તરપ્રદેશના ગઢવા જિલ્લાના સોનવર્ષા ગામમાં અંસારી નામના એક વ્યક્તિની લાશ મળી આવી હતી. ત્યાર બાદ પોલીસે ટીમ બનાવી હત્યારાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટસ્ફોટ કર્યો હતો કે અંસારીની હત્યા તેની પત્ની જુલેખા અને તેના જમાઈ નાજિરે કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલી કુહાડી પણ જપ્ત કરી છે.

જમાઈએ સાસુ સાથે મળી સસરાની હત્યા કરી લાશને ખેતરમાં ફેંકી દીઘી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક અંસારીની પત્નીના તેના જ જમાઈ સાથે પ્રેમ સંબંધ હતા. પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા.

સસરા અંસારી અને જમાઈ નાજિર બંને એક સાથે બંગ્લોરમાં કામ કરતા હતા. વચ્ચે ક્યારે જમાઈ નાજિર તેના ઘરે આવતો હતો. એ દરમિયાન નાજિર અને જુલેખા વચ્ચે પ્રેમ સંબંધ બાદમાં શારીરિક સંબંધ બંધાયો હતો. આની જાણ અંસારીને થઈ હતી. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થતો રહેતો હતો.

બાદમાં જુલેખાએ તેની દીકરીના લગ્ન નાજિર સાથે કર્યા હતા. આમ છતાં નાજિર અને સાસુ જુલેખા વચ્ચે સંબંધો અટક્યા નહોતા. બાદમાં બનેએ સસરા અંસારીને હટાવવાનો નિર્ણય કર્યો હતો અને કુહાડીથી ઢીમ ઢાળી દીધું હતું.

Advertisement